વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસને અધિકાર - કલમ : 35

વગર વોરંટે ધરપકડ કરવાનો પોલીસને અધિકાર

(૧) કોઇપણ પોલીસ અધિકારી મેજિસ્ટ્રેટના હુકમ વિના અને વગર વોરંટે નીચે જણાવેલ વ્યકિતઓને પકડી શકશે

(એ) કોઇ પોલીસ અધિકારીની હાજરીમાં કોઇ પોલીસ અધિકારનો ગુનો કરે અથવા

(બી) જેની સામે કોઇ વ્યાજબી ફરિયાદ કરવામાં આવેલ હોય અથવા એવી ખાતરીલાયક માહિતી મળેલ હોય અથવા વ્યાજબી શંકા ઉપસ્થિત થતી હોય કે તેણે કોઇ સાત વષૅ કરતા ઓછી મુદતની કેદની અથવા સાત વષૅ સુધી લંબાવી શકાય તેવી કેદની દંડ સહિત કે દંડ સિવાયની શિક્ષાને પાત્ર પોલીસ અધિકારનો ગુનો કર્યો છે અને જો નીચેની શરતો પરિપૂણૅ થતી હોય જેવી કે

(૧) આવી ફરિયાદ માહિતી અથવા શંકાના આધારે પોલીસ અધિકારીને માનવા માટે વ્યાજબી કારણ હોય કે આવી વ્યકિતએ તેવો ગુનો કરેલ છે.

(૨) પોલીસ અધિકારીને નીચેના કારણોસર એવો સંતોષ થાય કે આવી ધરપકડ જરૂરી છે.

(એ) આવી વ્યકિત ને બીજો કોઇ ગુનો કરતા અટકાવવા માટે અથવા

(બી) ગુનાની યોગ્ય તપાસ કરવા માટે અથવા

(સી) આવી વ્યકિત ગુનાનો પુરાવો છુપાવી ન દે તે માટે તેને અટકાવવા માટે અથવા પુરાવા સાથે કોઇ પ્રકારે તે ચેડાં ન કરે તે માટે અથવા

(ડી) જે વ્યકિત કેસની હકીકતથી માહિતગાર હોય તેને ન્યાયાલય સમક્ષ અથવા પોલીસ અધિકારી સમક્ષ આવી હકીકતો ખુલ્લી ન કરે તે માટે તેને કોઇ લાલચ ધમકી અથવા વચન આપવાથી અટકાવવા માટે અથવા

(ઇ) જયાં સુધી આવી વ્યકિતની ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી ન્યાયાલયમાં તેની હાજરીની જયારે પણ જરૂર હોય ત્યારે તેની હાજરીની ખાતરી ન કરી શકાય તેમ હોય અને પોલીસ અધિકારી ધરપકડ કરતી વખતે લિખિતમાં આવી ધરપકડ માટેના પોતાના કારણોની નોંધ કરશે. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે કોઇ પોલીસ અધિકારી એવા તમામ કેસોમાં કે જેમાં વ્યકિતની ધરપકડ આ પેટા કલમ હેઠળ જરૂરી ન હોય ત્યારે ધરપકડ ન કરવા માટેના કારણોની લિખિતમાં નોંધ કરશે અથવા

(સી) જેની વિરૂધ્ધ એવી ખાતરી લાયક માહિતી મળેલ હોય કે તેણે સાત વષૅ કરતાં વધુ સમયની કેદની દંડ સહિતની અથવા દંડ સિવાયની કે મોતની સજાને પાત્ર પોલીસ અધિકારનો ગુનો કરેલ છે અને પોલીસ અધિકારીને આવી માહિતી ના આધારે એવું માનવાને કારણ હોય કે આવી વ્યકિતએ તેવો ગુનો કરેલ છે અથવા

(સી) જેની વિરૂધ્ધ એવી ખાતરી લાયક માહિતી મળેલ હોય કે તેણે સાત વષૅ કરતાં વધુ સમયની કેદની દંડ સહિતની અથવા દંડ સિવાયની કે મોતની સજાને પાત્ર પોલીસ અધિકારનો ગુનો કરેલ છે અને પોલીસ અધિકારીને આવી માહિતી ના આધારે એવું માનવાને કારણ હોય કે આવી વ્યકિતએ તેવો ગુનો કરેલ છે અથવા

(ડી) આ સંહિતા હેઠળ અથવા રાજય સરકારના હુકમ હેઠળ જે ઘોષિત ગુનેગાર હોય તે વ્યકિત અથવા

(ઇ) ચોરીનો માલ હોવાનો વાજબી શક આવે એવી કોઇ વસ્તુ જેના કબ્જામાં હોય અને તે વસ્તુના સબંધમાં તેણે કોઇ ગુનો કયૅજાનો વાજબી શક હોય તે વ્યકિત અથવા

(એફ) કોઇ પોલીસ અધિકારીને પોતાની ફરજ બજાવવામાં અડચણ કરનાર અથવા કાયદેસરની કસ્ટડીમાંથી નાસી છૂટનાર અથવા નાસી છૂટવાની કોશિષ કરનાર વ્યકિત અથવા

(જી) સંઘના સશસ્ત્ર દળોમાંથી નાસી આવેલા હોવાનો જેના ઉપર વાજબી શક હોય તે વ્યકિત અથવા

(એચ) જે કૃત્ય ભારતમાં કરવામાં આવ્યું હોત તો ગુના તરીકે શિક્ષાને પાત્ર થાત એવા ભારત બહાર કરેલા કૃતયમાં સંકળાયેલ હોય અથવા એ રીતે સંકળાયેલ હોવાની જેની સામે વાજબી ફરિયાદ કરવામાં આવી હોય અથવા વિશ્વાસપાત્ર માહિતી મળી હોય અથવા જેના ઉપર એવો વાજબી શક હોય અને એવા કૃત્ય માટે પ્રત્યાપૅણ સંબંધી કોઇ કાયદા હેઠળ અથવા બીજી રીતે ભારતમાં પકડાવાને અને કસ્ટડીમં રખાવાને પાત્ર હોય તે વ્યકિત અથવા

(આઇ) કલમ-૩૯૪ ની પેટા કલમ(૫) હેઠળ થયેલ કોઇ નિયમનો ભંગ કરનાર સજા ભોગવીને છુટેલો ગુનેગાર અથવા

(જે) કોઇ વ્યકિતને પકડવા માટે બીજા પોલીસ અધિકારી તરફથી લિખિત કે મૌખિક માંગણી મળેલી હોય અને તે માગણીમાં જેની ધરપકડ કરવાની હોય તે વ્યકિત અને જે ગુના અથવા બીજા કારણ માટે તેની ધરપકડ કરવાની હોય તે દશૅાવેલ હોય અને માગણી કરનાર અધિકારી તે વ્યકિતને વગર વોરંટે કાયદેસર રીતે પકડી શકે તેમ છે એવું તેના ઉપરથી જણાતું હોય તો તે વ્યકિત

(૨) કલમ-૩૯ ની જોગવાઇઓને આધિન રહીને જે પોલીસ અધિકાર બહારના ગુનામાં સંકળાયેલ હોય અથવા તે અંગેની જેની સામે ફરિયાદ કરવામાં આવેલ હોય અથવા ખાતરી લાયક માહિતી મળેલ હોય અથવા એમાં સંડોવણી હોવા અંગેની વ્યાજબી શંકા ઉપસ્થિત થયેલ હોય તેવી કોઇપણ વ્યકિતને વોરંટ વગર અથવા મેજિસ્ટ્રેટના આદેશ સિવાય ધરપકડ કરી શકાશે નહિ.

(૩) પેટા કલમ (૧) હેઠળ કોઇ વ્યકિતની ધરપકડ જરૂરી ન હોય તેવા તમામ કેસોમાં પોલીસ અધિકારી જે વ્યકિતની સામે વ્યાજબી ફરિયાદ કરવામાં આવેલ હોય અથવા ખાતરી લાયક માહિતી મળેલ હોય અથવા વ્યાજબી શંકા ઉપસ્થિત થયેલ હોય તેને નોટીશ આપીને તેની સમક્ષ (પોલીસ અધિકારી સમક્ષ) અથવા નોટીશમાં જણાવવામાં આવેલ હોય તેવી બીજી જગ્યાએ હાજર થવા નિર્દેશ કરશે.

(૪) જયારે કોઇ વ્યકિતને આવી નોટીશ કાઢવામાં આવેલ હોય ત્યારે નોટીશમાં જણાવેલ શરતોના પાલન અંગેની જવાબદારી તે વ્યકિતની રહેશે.

(૫) જયારે આવી વ્યકિત નોટીશનું પાલન કરે અને પાલન કરવાનું ચાલુ રાખે ત્યારે તે નોટીશમાં નિદિષ્ટ કરાયેલ ગુનાના સબંધમાં તેની ધરપકડ થશે નહી સિવાય કે લેખિતમાં કારણોની નોંધ કરીને પોલીસ અધિકારીનો એવો અભિપ્રાય હોય કે આવી વ્યકિતની ધરપકડ થવી જ જોઇએ.

(૬) જયારે આવી વ્યકિત કોઇપણ સમયે નોટીશમાં જણાવેલ શરતોનું પાલન કરવામાં નિષ્ફળ જાય અથવા પોતાની ઓળખ આપવા રાજી ન હોય ત્યારે પોલીસ અધિકારી આ અથૅ સક્ષમ અદાલત દ્રારા પસાર કરવામાં આવે તેવા હુકમોને અધીન રહીને નોટીશમાં જણાવેલ ગુના માટે એવી વ્યકિતની ધરપકડ કરી શકશે.

(૭) જો એવી વ્યકિત કોઇ ગંભીર બિમારીથી પિડાતી હોય કે સાઇઠ વષૅથી વધુ વયની હોય તો ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ ની કક્ષાથી ઉતરતા દરજજાના ન હોય તેવા કોઇ અધિકારીની પુવૅ મંજુરી સિવાય ત્રણ વષૅથી ઓછી કેદની શિક્ષાને પાત્ર ગુનામાં ધરપકડ કરવામાં આવશે નહિ.